24 જુલાઈએ કર્ણાવતીમાં જગદ્ગુરુ શંકરાચાર્યનું સ્વાગત, ગોભક્તોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ, જુલાઈ 2026 :- પરમ શ્રદ્ધેય ગો-ઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજશ્રી ની સત્ પ્રેરણાથી અર્બુદારણ્યની પાવન ભૂમિ પર હજારો ગૌમાતાઓના સાન્નિધ્યમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા પ્રાયોજિત “શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવશે.

આ ક્રમમાં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય સામવેદીય દ્વારકા શારદાપીઠાધીશ્વર પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ નું 24 જુલાઈએ સાંજે 4 વાગ્યે સુરભિ શક્તિપીઠ, કર્ણાવતી ખાતે પાવન આગમન થશે. જ્યાં હજારો ગોભક્તો જગદ્ગુરુ શંકરાચાર્યજીનું અભિનંદન કરશે.

સ્વાગત અને કાર્યક્રમની વિગત
આ અંગે યોજાયેલી બેઠકમાં શ્રી સુરભિ શક્તિપીઠના સંરક્ષક સંત યોગેશદાસજી મહારાજ એ જણાવ્યું કે, 24 જુલાઈએ સાંજે 4 વાગ્યે શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત, ગોપૂજન અને ચરણ પાદુકા પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ 25 જુલાઈએ સવારે 9 વાગ્યે નંદગામ માટે પ્રસ્થાન કરશે. આ પાવન અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગણમાન્યો ઉપસ્થિત રહેશે.

આયોજન સમિતિએ તમામ શ્રદ્ધાળુઓને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ ધાર્મિક અને આધ્યાત્મિક અવસરનો લાભ લેવા હાર્દિક અનુરોધ કર્યો છે.

ચાતુર્માસ મહોત્સવની રૂપરેખા
સંસ્થાના CEO શ્રી આલોક સિંઘલ એ જણાવ્યું કે શ્રી અભિનવ બ્રજમંડલ મનોરમા ગોલોકતીર્થ, અર્બુદારણ્ય નંદગામ, કેસુઆ ખાતે 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર 2026 સુધી “શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ” યોજાશે. મહોત્સવમાં 7 કથાઓ, 14 ઉત્સવો સહિત વિવિધ ગો-ઉપાસના સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી શ્રી લલિતજી અગ્રવાલ એ જણાવ્યું કે આ વર્ષે મહોત્સવમાં દ્વારકા શારદાપીઠાધીશ્વર પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ નું પાવન સાન્નિધ્ય પ્રાપ્ત થશે. આને શંકરાચાર્ય ભગવાનના પ્રથમ ચાતુર્માસ નો ઐતિહાસિક અને અત્યંત પુણ્યદાયી અવસર ગણાવીને અમદાવાદ અને ગાંધીનગરમાં વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવવા આહ્વાન કર્યું.

શ્રી સુભાષજી જોડીવાલ એ કહ્યું કે વધુમાં વધુ શ્રદ્ધાળુઓને આ મહાઆયોજન સાથે જોડીને ગૌમાતા અને પૂજ્ય શંકરાચાર્યજી ના દર્શન અને આશીર્વાદનો લાભ અપાવવામાં આવે. આયોજન સમિતિ દ્વારા મહોત્સવને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઉપસ્થિતિ
આ અવસરે શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત, શ્રી શ્રીરામ રાજગુરુ, શ્રી લાલારામજી બહેડિયા, શ્રી શિવકુમારજી શર્મા, CA શ્રી ઘેવરચંદજી પુરોહિત, શ્રી ગોપીરામજી શર્મા, શ્રી મદનગોપાલજી પુરોહિત, શ્રી ગોપીચંદ ટાંક, શ્રી હુકમસિંહજી શેખાવત સહિત અનેક ગોભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

જય ગૌમાતા, જય શંકરાચાર્ય 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *