Fashion Exhibitions Around The World To See In 2023
Lorem Ipsum is simply dummy text of the printing and
Tech Weapons We Need To Combat Global Warming
Lorem Ipsum is simply dummy text of the printing and
આયુદા ઓર્ગેનિક્સ દ્વારા ગુજરાતના 5 શહેરોમાં રિટેલ સ્ટોર્સ અને ગીર ગાયના વૈદિક વલોણા ઘી-દૂધની શુદ્ધ સેવાઓ સાથે વ્યાપક વિસ્તરણ
અમદાવાદ: ગુજરાતના ઓર્ગેનિક રિટેલ ક્ષેત્રે ઝડપથી ઉભરી રહેલી અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ ‘આયુદા ઓર્ગેનિક્સ’ (Ayuda Organics) દ્વારા તેના ભાવિ વ્યવસાયિક આયોજન, ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો અને સપ્લાય ચેઈન વિસ્તરણ અંગેની વિગતો રજૂ કરવામાં આવી છે. સંસ્થાના સ્થાપક અનિલ પટેલ અને સહ-સ્થાપક નિરવ સોલંકીએ સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, આયુદા ઓર્ગેનિક્સ માત્ર એક વેચાણ કેન્દ્ર નથી, પરંતુ વર્ષ ૨૦૧૪થી…
‘ગેટ સેટ ગો’ નું પાવર-પેક્ડ ટ્રેલર લોન્ચ: 7 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલ આ ફિલ્મમાં હાઇ-ટેક VFX જોવા મળશે
વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત અને ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર આખરે લોન્ચ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મનું ટીઝર દર્શકોમાં ભારે કુતૂહલ જગાવી ચૂક્યા છે, ત્યારે હવે આ ટ્રેલરે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી…
ગેટ સેટ ગો ફિલ્મની ચિરંજીવી ટીમ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે, મુખ્યમંત્રીએ ફિલ્મની ટીમ જે રાહતનું કાર્ય કરી રહી છે તેના માટે બિરદાવ્યા
ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે આગામી 7 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થઈ રહેલી ગુજરાતી એક્શન-એડવેન્ચર થ્રિલર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) ની ‘ટીમ ચિરંજીવી’ એ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જમીન પર રાહત કાર્ય કર્યા બાદ, ટીમ ચિરંજીવીના સભ્યોએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મ…
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું
અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. સતત પાણી ભરાઈ રહેવાના કારણે ઘણા પરિવારોના ઘરના ચૂલા પણ સળગી શકે તેવી સ્થિતિ નહોતી. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 7 ઓગસ્ટ, 2026 ના રોજ રિલીઝ થઇ રહેલી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’એ આગળ…
NEET વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Delhi -NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીક વિવાદ અંગે દેશભરમાં થઈ રહેલા ભારે વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રધાને X ના રોજ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઈ રહ્યા છે. “…જંતર-મંતર અને…
નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ
૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ’નો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ (MAARAN) નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા બાદથી જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી, અને હવે ટ્રેલર રિલીઝ થતા જ આતુરતાનો અંત આવ્યો છે. આ અર્થપૂર્ણ અને ભાવનાત્મક ફિલ્મ આવનારી…
ATIRA ખાતે NTTM હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલ્સ અને કમ્પોઝિટ્સ પરના સ્કીલ ડેવલપમેન્ટ કોર્સનું સમાપન
ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકારના નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન (NTTM) હેઠળ ATIRA ખાતે ૦૬ થી ૨૨ જુલાઈ ૨૦૨૬ દરમિયાન યોજાયેલ “ફંડામેન્ટલ્સ ઓફ ટેકનિકલ ટેક્સટાઈલ્સ એન્ડ કમ્પોઝિટ્સ” (TG-1) વિષય પરનો સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ (SDC), ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ ATIRA કેમ્પસ ખાતે યોજાયેલા સમાપન સમારોહ સાથે પૂર્ણ થયો હતો. અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા આ ૧૨૦-કલાકના…
24 જુલાઈએ કર્ણાવતીમાં જગદ્ગુરુ શંકરાચાર્યનું સ્વાગત, ગોભક્તોમાં ભારે ઉત્સાહ
અમદાવાદ, જુલાઈ 2026 :- પરમ શ્રદ્ધેય ગો-ઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજશ્રી ની સત્ પ્રેરણાથી અર્બુદારણ્યની પાવન ભૂમિ પર હજારો ગૌમાતાઓના સાન્નિધ્યમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા પ્રાયોજિત “શ્રી સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ક્રમમાં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય સામવેદીય દ્વારકા શારદાપીઠાધીશ્વર પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી…
હવે વિદેશી બ્રાન્ડ્સને ટક્કર આપશે શ્રીજી રેમેડીઝ નું ૧૦૦% આયુર્વેદિક ‘સ્વદેશી હર્બલ ઇન્હેલર’
અમદાવાદ, ગુજરાત : આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનોના ક્ષેત્રમાં વર્ષ 1993 થી નામ ધરાવતી અમદાવાદની અગ્રણી કંપની શ્રીજી રેમેડીઝ દ્વારા ગ્રાહકોની રોજિંદી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે તેમનું મુખ્ય ઉત્પાદન ‘સ્વદેશી હર્બલ ઇનહેલર’ સમગ્ર ભારતમાં મોટા પાયે ઉપલબ્ધ કરાવવાની ઘોષણા કરવામાં આવી છે. શુદ્ધ અને પ્રમાણિત આયુર્વેદિક ઉત્પાદનો આપવાના ઉદ્દેશ સાથે કાર્યરત શ્રીજી રેમેડીઝ, રસાયણયુક્ત ઉત્પાદનોના આ…
આવનારી સદીનું સૌથી મોટું યુદ્ધ સરહદો પર નહીં, પણ ડ્રગ્સ અને ડિપ્રેશન સામે લડવાનું છે” – પૂજ્ય વિરલબાપુ
આજના આધુનિક સમયમાં દેશ સામે એક નવો અને ગંભીર પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ દેશનું ભવિષ્ય એવા હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ સતત વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, અને યુવાનો દિશાહીન બની રહ્યા છે. આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે…

