
અંજાર નગર પ્રાથમિક શાળા નં-17માં શ્રી બીપીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઉત્કૃષ્ટ વિકાસ અને નવતર પ્રયાસો
અંજાર, એપ્રિલ, 2025 : “આચરણ કરે તે આચાર્ય” – આ ઉક્તિને સાચો અર્થ આપનાર અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર 17ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી બીપીનભાઈ પટેલ છે. એપ્રિલ 2023 થી એપ્રિલ 2025 દરમિયાનના બે વર્ષના તેમના કાર્યકાળમાં શાળામાં એવી નવી ઉજાસ ફેલાઈ છે કે, આજે શાળા માત્ર શિક્ષણ પૂરતી સીમિત નથી રહી, પણ બાળકોના સર્વાંગી…