અમદાવાદ: આરકે ગ્રુપની કંપની વન્ડર હોમ ફાઇનાન્સ (WHFL) એ તેના વિસ્તરણ અભિયાનને આગળ વધારતા આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું. આ શાખાનું ઉદ્ઘાટન કટારિયા ગ્રુપના સ્થાપક અને ચેરમેન શ્રી સૌભાગમલજી & રાજેન્દ્રજી કટારિયાના હસ્તે સંપન્ન થયું.
આ પ્રસંગે વન્ડર હોમ ફાઇનાન્સના ડિરેક્ટર અને સીઈઓ શ્રી સંજય સિંહ રાજાવત, કંપનીના વરિષ્ઠ અધિકારી શ્રી પિયુષ ઔદિચ્ય તેમજ અન્ય આગેવાનો અને વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ચાંદખેડા શાખાના પ્રારંભ સાથે વન્ડર હોમ ફાઇનાન્સે ગુજરાતમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવી છે. આ અમદાવાદ શહેરમાં કંપનીની ચોથી અને ગુજરાત રાજ્યમાં 23મી શાખા છે. હાલમાં વન્ડર હોમ ફાઇનાન્સ દેશના 13 રાજ્યોમાં 174 શાખાઓના વ્યાપક નેટવર્ક દ્વારા પોતાની સેવાઓ પ્રદાન કરી રહી છે અને 40,000થી વધુ પરિવારો સુધી સરળ, સુલભ અને વિશ્વસનીય હોમ ફાઇનાન્સ સોલ્યુશન્સ પહોંચાડી સતત વિકાસ કરી રહી છે.
કટારિયા ગ્રુપ દેશના અગ્રણી વ્યાપારિક સમૂહોમાંનું એક છે, જેની મજબૂત ઉપસ્થિતિ ઓટોમોબાઇલ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્શ્યોરન્સ અને લોજિસ્ટિક્સ સહિત પાંચ મુખ્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં છે. આવા પ્રતિષ્ઠિત સમૂહની ગૌરવમય હાજરીમાં નવી શાખાનું ઉદ્ઘાટન વન્ડર હોમ ફાઇનાન્સની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે શ્રી સંજય સિંહ રાજાવતે જણાવ્યું: “વન્ડર હોમ ફાઇનાન્સનો ઉદ્દેશ માત્ર હોમ લોન ઉપલબ્ધ કરાવવાનો નથી, પરંતુ દરેક પરિવારને તેમના પોતાના ઘરના સપનાને સાકાર કરવામાં સહયોગી બનવાનો છે. અમારો સતત પ્રયાસ ગ્રાહકોને સરળ, વિશ્વસનીય અને ગ્રાહક-કેન્દ્રિત નાણાકીય ઉકેલો પ્રદાન કરીને તેમને તેમના સપનાના ઘર સુધી પહોંચાડવાનો છે.”
નવી ચાંદખેડા શાખા સ્થાનિક ગ્રાહકોને ઝડપી, સરળ અને અનુકૂળ હોમ લોન સેવાઓ પ્રદાન કરશે તેમજ વિસ્તારમાં નાણાકીય સમાવેશ (Financial Inclusion) અને આવાસ વિકાસને ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
