ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન
ગાંધીનગર: વિશ્વની સૌથી મોટી ગૌસેવા સંસ્થાઓમાંની એક એવી શ્રી ગોધામ મહાતીર્થ પથમેડામાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પ્રાંગણમાં જગદ્ગુરુ શંકરાચાર્યના સાન્નિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ આયોજન 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી લાખો ગૌભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે. સંસ્થાના સ્થાપક અને મુખ્ય સંરક્ષક પરમ શ્રદ્ધેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજની…
