પહેલા ક્યારેય ન થયો હોય તેવો મહાશિવરાત્રીનો અનુભવ : ભારતભરના જ્યોતિર્લિંગોની લાઇવ આરતીઓ,  26 ફેબ્રુઆરીએ ફક્ત જિયોહોટસ્ટાર પર

~ આ મહા શિવરાત્રીનો સૌથી ભવ્ય અનુભવ માણો – 26 ફેબ્રુઆરી, સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી, ફક્ત જિયોહોટસ્ટાર  પર!

~કોયમ્બતુરથી ઈશા ફાઉન્ડેશનના આખી રાતના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમ જેમાં સદગુરુના ધ્યાનનો સમાવેશ થાય છે

~શ્રી શ્રી રવિશંકર સાથે આર્ટ ઓફ લિવિંગના ધ્યાનનું લાઈવ સ્ટ્રીમ

~ગાયિકા, સંગીતકાર અને ગીતકાર સોના મહાપાત્રાના નેતૃત્વમાં ટોચના સંગીત કલાકારો દ્વારા ભગવાન શિવના નામે સંગીતમય સમર્પણ અને મંત્રોચ્ચાર

~શિવ-પાર્વતી જોડાણ અને ભગવાન શિવની આસપાસના ધાર્મિક વિધિઓ, પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિની શોધ પર વિશેષ શોનું પ્રીમિયર

25 ફેબ્રુઆરી, 2025; રાષ્ટ્રીય: જિયોહોટસ્ટાર મહાશિવરાત્રિ: દિવ્ય રાત્રિ સાથે એક અપ્રતિમ અને અનોખો મહાશિવરાત્રિ અનુભવ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 26મી ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યાથી શરૂ થતા 12-કલાકના વિશેષ લાઈવ પ્રસારણ દ્વારા, સમગ્ર દેશમાં ઉજવાતા આ પવિત્ર તહેવારની ભવ્યતા પ્રદર્શિત કરવામાં આવશે. પ્રથમ વખત થતો, મલ્ટી-ફોર્મેટ, મલ્ટી-લોકેશન અને મલ્ટી-સ્ટ્રીમ લાઈવ ઈવેન્ટ, મહાશિવરાત્રિ: દિવ્ય રાત્રિ સમગ્ર ભારતને આ દિવ્ય ઉત્સવમાં એકત્રિત કરશે. દેશભરના 20+ જ્યોતિર્લિંગોની આરતીઓનું રિયલ-ટાઈમ લાઈવ પ્રસારણ દર્શકોને પોતાના ઘરની આરામદાયક વાતાવરણમાં બેઠા-બેઠા આ ભવ્ય ઉજવણીનો હિસ્સો બનવાની તક આપશે.

લાઈવ ઇવેન્ટ દ્વારા, વિવિધ સ્ટ્રીમ્સ પર, દર્શકો સમગ્ર દેશના 20થી વધુ જ્યોતિર્લિંગોમાંથી આરતીઓનું રિયલ-ટાઈમ પ્રસારણ નિહાળી શકે છે, જે મહાશિવરાત્રિની ઉજવણીને સીધા તેમની ડિવાઇસ સુધી લાવે છે. તેઓ આ આરતીઓનું મહત્વ સમજી શકે છે તેમજ આવિધિઓની ઊંડાણભરી સમજ મેળવી શકે છે. જિયોહોટસ્ટારએ ઈશા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે, જે અંતર્ગત તેમના ભવ્ય વિધિ-વિધાનો લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, જેમાં વિવિધ પ્રખ્યાત કલાકારો દ્વારા સંગીત પ્રસ્તુતિઓ પણ શામેલ રહેશે, જેથી સમગ્ર દેશમાં રાત્રિભર ચાલતી ઉજવણીના પ્રસારણ માટે સુલભતા સુનિશ્ચિત થાય. આમાં સાધગુરુના ધ્યાન અને પ્રવચનોનો સમાવેશ પણ થશે.  આ લાઈવ ઇવેન્ટમાં ભગવાન શિવને સમર્પિત તથા પ્રેરિત વિવિધ પર્ફોર્મન્સ શામેલ થશે. રાત્રિભર સંગીત સમર્પણમાં વિવિધ શૈલીઓના ગીતો પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં પ્રખ્યાત ગાયિકા, ગીતકાર અને સંગીતકાર સોના મોહાપાત્રા મુખ્ય આગેવાન તરીકે રહેશે. આ સાથે જ, આ પ્લેટફોર્મ પર “આર્ટ ઑફ લિવિંગ” દ્વારા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર દ્વારા લાઈવ ધ્યાન સત્ર પણ યોજાશે.

આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવને વધુ સમૃદ્ધ બનાવીને, પ્રેક્ષકો “દેવોં કે દેવ…મહાદેવ”ની જાદુઈ ક્ષણોને ફરીથી અનુભવી શકે છે. મહાશિવરાત્રીના શુભ અવસર પર, ભગવાન શિવ અને દેવી પાર્વતીના દિવ્ય જોડાણને સમર્પિત ત્રણ કલાકનો ખાસ એપિસોડ પ્રસારિત કરવામાં આવશે. જિયોહોટસ્ટાર દેશભરની મહા શિવરાત્રી પરંપરાઓને દર્શકો સમક્ષ સરળ અને આકર્ષક રીતે લાવશે, જે સમાજમાં એકતા અને જોડાણની ઊંડી ભાવના પેદા કરશે. કસ્ટમાઇઝ્ડ ઇન્ટિગ્રેશન, મંત્રમુગ્ધ કરનારી વાર્તાઓ અને રીઅલ-ટાઇમ ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા, આ ઇવેન્ટ પ્રેક્ષકો માટે એક અનોખો અને આનંદદાયક અનુભવ બનશે.

આ પહેલ વિશે વાત કરતા, જિયોહોટસ્ટારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે પહોંચ, સ્કેલ અને સમાવિષ્ટતાની સીમાઓને તોડીને એક નવો અભિગમ અપનાવીને ભારતમાં સાંસ્કૃતિક ક્ષણોનો અનુભવ કેવી રીતે થાય છે તેને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ. ‘મહાશિવરાત્રી’ લાઇવ ઇવેન્ટ દ્વારા, અમે ડિજિટલ નવીનતાની શક્તિનો ઉપયોગ કરીને સદીઓ જૂની પરંપરાઓને એક ઇમર્સિવ, ઇન્ટરેક્ટિવ અને સીમલેસ રાષ્ટ્રીય અનુભવમાં પરિવર્તિત કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય સામૂહિક સમુદાયના અનુભવોની શક્તિને મુક્ત કરવાનો છે, અને અમે માનીએ છીએ કે મહાશિવરાત્રીનો શુભ અવસર એક એવી ક્ષણ છે જેને લાખો લોકોએ સાથે મળીને શેર કરવી જોઈએ.”

ખાસ લાઇવ સ્ટ્રીમ પર ટિપ્પણી કરતા, શ્રી શ્રી રવિશંકર (ગુરુદેવ) એ કહ્યું, “મહાશિવરાત્રી એ બ્રહ્માંડ સાથે સંરેખિત થવાનો અને અંદરના દિવ્યતા સાથે જોડાવાનો પ્રસંગ છે. આ પવિત્ર રાત્રિ આપણને ભક્તિ, કૃતજ્ઞતા અને આનંદમાં એકસાથે લાવે છે.”

આ સહયોગ વિશે વાત કરતા, ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુએ કહ્યું, “મહાશિવરાત્રી એ આત્મનિરીક્ષણ કરવાનો, અંદર જવાનો અને દિવ્યતા સાથે જોડાવાનો સમય છે. આ અપાર ઉર્જાની રાત્રિ છે કારણ કે જીવનના તમામ ક્ષેત્રોના સાધકો એક સાથે આવે છે. જિયોહોટસ્ટાર દ્વારા, આ શક્તિશાળી રાત્રિને વધુ સુલભ બનાવવામાં આવી છે, જ્યાં ટેકનોલોજી અંતરને દૂર કરે છે અને આધ્યાત્મિકતા આપણને બધાને એક કરે છે.”

ટેકનોલોજી અને પરંપરાના અનોખા મિશ્રણ સાથે, જિયોહોટસ્ટાર દેશભરમાં ગમે ત્યાંથી મહાશિવરાત્રીની ઉજવણીનો અનુભવ કરવાની એક દુર્લભ તક આપે છે. દર્શકો આ પવિત્ર ધાર્મિક વિધિઓમાં સહેલાઇથી જોડાઈ શકે છે અને દિવ્ય વાતાવરણનો ભાગ બની શકે છે, જેનાથી ભવ્ય ઉજવણીમાં ભાગ લેવાનું પહેલા કરતાં વધુ સરળ બને છે.

આ મહા શિવરાત્રીનો સૌથી ભવ્ય અનુભવ માણો – 26 ફેબ્રુઆરી, સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી, ફક્ત જિયોહોટસ્ટાર  પર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *