સરદારધામ દ્વારા ૧,૧૫૦ તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ
સામાજિક ક્રાંતિ અને સમરસતાના ભાગરૂપે ગુજરાતના તમામ સમાજ/જ્ઞાતિના આર્થિક રીતે જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી સરદારધામ દ્વારા “ડૉ. ચિતરંજનભાઈ પટેલ (USA) ઉચ્ચ શિક્ષણ સહાય યોજના” કાર્યરત છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ અંતર્ગત આ યોજના હેઠળ કુલ ૧,૧૫૦ વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવશે. વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ…
