AMA (Ahmedabad Mangement Association) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજના યુવા વર્ગને વિકસિત ભારતની કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ શ્રી હેમલભાઈ , Startup India ક્ષેત્રે કાર્યરત શ્રી શુભમ સુરતી , Personality Development ક્ષેત્ર શ્રી સૂર્યવંશી સાહેબ હાજર રહ્યા હતા. સૌ અગ્રણીઓ સાથે મળીને વિકસિત ભારતની કલ્પનાને પુરું કરવા અને દેશના યુવાનોનો દરેક પથ દિવ્યપથ, વિજયપથ અને ગૌરવપથ બની રહે તે માટેની ઉમદા સમજ આપી હતી. આ સાથે આશ્કા યુથ ફાઉન્ડેશનના સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કર દ્વારા બોર્ડના વિધાર્થીઑ એ અવાવનારા સમયમાં આવતી બોર્ડની પરીક્ષામાં કેવીરીતે તૈયારી કરવી તે બાબતે એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો, જે વિધાર્થીને પરીક્ષામાં ઉતીર્ણ થવા મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સેમિનારમાં ધોરણ 10 ને 12 ના અંદાજે 180 થી વધુ બાળકો એ હાજરી આપી હતી.
Read More
અવ્વલ ફાઉન્ડેશન દ્વારા 14મી ફેબ્રુઆરીએ 8માં “સમૂહ લગ્ન મહોત્સવ”નું આયોજન
અમદાવાદ : અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા અને સામુહિક વિવાહ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરીને સમાજના હિતના માટેના કાર્યો કરતું આવ્યું છે. અવ્વલ ફાઉન્ડેશન (ઘરડાઘર) મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અભિસાર કલાલના નેતૃત્વ હેઠળ 14મી ફેબ્રુઆરી, 2024- બુધવારના રોજ 8માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. …
આ નવા ડિજિટલ યુગ માં માત્ર ફિલ્મો જ નહીં પરંતુ વેબ સીરીઝ એ પણ દરેક ના હૃદય માં એક નવું સ્થાન બનાવ્યું છે
એવીજ એક નવી પ્રેમ પર આધારિત વેબ સીરીઝ લઈને આવી રહ્યા છે, લેખક અને દિગ્દર્શક મંથન મહેતા, જેનું શૂટીંગ શરૂ થઈ ગયું છે વેબ series નું નામ છે તારી મારી વાતો. વાર્તા માં મુખ્ય પાત્રો ભજવી રહ્યા છે ક્રિના પાઠક અને અક્ષત રણા. જેમના સાથી કલાકાર છે કેતન પરમાર, હર્ષવી યોધ અને જયમીન સોલંકી. વાર્તા…
ભારતનું ગૌરવ દર્શાવતી ઐતિહાસિક પર આધારિત ભવ્ય ગુજરાતી ફિલ્મ “કસૂંબો”ના કલાકારો પાટણના સેનેલાઈટ થિયેટર ખાતે ઉપસ્થિત રહ્યાં
વિજયગીરી બાવા નિર્દેશિત, રામ મોરી લિખિત મલ્ટી સ્ટારર ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. ગુજરાત : સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. વિજયગિરિ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મ ‘કસૂંબો’ એ રીલીઝ પહેલા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. ફિલ્મનું ટીઝર, ટ્રેલર અમને ટાઇટલ સોન્ગ કરોડો…
શિવાલિક ગ્રૂપે રૂપિયા 300 કરોડના ભંડોળ સાથે સેબી દ્વારા માન્ય કેટેગરી II ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ (AIF) દ્વારા રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો
અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી IIAIF તરીકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તરફથી નિયમનકારી મંજૂરી પ્રાપ્ત કરી છે. (સેબી નંબર: IN/AIF2/23-24/1441) પ્રસ્તાવિત AIFનો લક્ષ્ય પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા 300 કરોડ રૂપિયા સુધી ફંડ એકત્ર કરવાનો છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજરની…
વર્લ્ડ કેન્સર ડે: માત્ર 37 કિલો વજન ધરાવતા 72 વર્ષીય મહિલા દર્દીને થયેલ અન્નનળીના કેન્સરનું સફળતાપૂર્વક ઓપરેશન
રાજકોટ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દર 10 માંથી 1 ભારતીયને કેન્સરનું જોખમ છે અને 2025 સુધીમાં દેશના 16 લાખ લોકો કેન્સરનો શિકાર બની શકે છે. 4 ફેબ્રુઆરીને “વર્લ્ડ કેન્સર ડે” તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તાજેતરમાં જ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે માત્ર 37 કિલો વજન ધરાવતા 72 વર્ષીય મહિલા દર્દી આવ્યા હતા કે જેઓને ખોરાક…
HCG કેન્સર સેન્ટર દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર “પાવર ઓફ ગુડ વીશીશ”નો જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો
વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે અને કેન્સર નિવારણ, શોધ અને સારવાર વિશે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ મહત્વપૂર્ણ દિવસને નિમિત્તે, HCG કેન્સર સેન્ટર, અમદાવાદ દ્વારા ” પાવર ઓફ ગુડ વીશીશ ” નામનું એક પ્રેરણાદાયી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ કેન્સરથી પ્રભાવિત લોકો…
સ્માર્ટ હેડફોન બનાવતી અમદાવાદની વીહિયર સંસ્થા શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ઝળકી
અમદાવાદ: શાર્ક ટેન્ક ઇન્ડિયા શો નવા સ્ટાર્ટ- અપ્સ અને નવી પ્રતિભાઓને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ઘણાં લોકોને શાર્કસના સપોર્ટથી બિઝનેસમાં આગળ વધવા માટે માર્ગદર્શન મળી રહે છે. અમદાવાદની સંસ્થા વીહિયર કે જેઓ વર્લ્ડના પ્રથમ સ્માર્ટ હેડફોન બનાવે છે તેઓ તાજેતરમાં જ શાર્ક ટેન્ક ઇન્ડિયાના એપિસોડમાં ઝળક્યા હતા. શાર્ક ટેન્કમાં તેઓએ તેમની બંને…
ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ દ્વારા “ઉત્કર્ષ મેળા 2024″નું આયોજન કરાશે
• 3 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકેથી રાત્રીના 10 કલાક સુધી પી & ટી ઓફિસર્સ કોલોની, સેટેલાઇટ, અમદાવાદ ખાતે આયોજન ટેલિકોમ વુમેન વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન(TWWO) એ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા છે. ઉત્કર્ષ મેળાનું આયોજન ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ, ગુજરાત દ્વારા મહિલાઓના ઉત્થાન અને બીએસએનએલ ઉત્પાદનોને પ્રમોટ કરીને, વિક્રેતાઓને તેમની પ્રોડક્ટ્સ અને સેવાઓનું પ્રદર્શન કરવા માટે…
